જેવા લોકો પાસે રહેવા માટે યોગ્ય ઘર નથી તેઓ માટે ખાસ પંડિત દીનદયાળ આવાસ યોજના બનાવવામાં આવી છે. આવાસ વિહોણા લોકો માટે આ યોજના ખુબ જ સારી છે, જે હેઠળ તેઓને એક મકાન માટે રૂપિયા ફાળવવામાં આવે છે.
મુખ્ય રીતે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને આમાં લાભ આપવામાં આવતો હોય છે. વિચારતી તથા વિમુક્ત જાતિના લોકોને આનાથી ઘર મળે છે. યોગ્યતા ધરાવતા લોકો આમાં ફોર્મ ભરી શકે છે તેઓ આ માટે સક્ષમ પણ ગણાય છે.
ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં વસવાટ કરતા બંને પ્રકારના લોકો આના માટે યોગ્ય છે. મહિલાઓ અને પુરુષો બંને યોજનાનું ફોર્મ ભરી શકે છે. જો કે યોજનાની અરજી કરવા માટે અમુક ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડે છે.
પંડિત દીનદયાળ આવાસ યોજના 2025
પ્રધાનમંત્રી આવાસ યોજનાની જેમ જ ઘર ફાળવતી આ સરકારી સ્કીમને પંડિત દીનદયાળ આવાસ યોજના નામ આપવામાં આવ્યું છે. જેમાં ઘર વિહોણા લોકોને તેઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક મકાન માટે પૈસા આપવામાં આવે છે.
શહેરી તથા ગ્રામીણ વિસ્તારના લોકો માટે રકમનું ધોરણ અલગ અલગ રાખવામાં આવ્યું છે. આ અંગેની સંપૂર્ણ વિગતો અહીં નીચે દર્શાવવામાં આવે છે. જેમાં તમે તમારા વિસ્તારની રકમ પણ જોઈ શકો છો.
- ગ્રામીણ વિસ્તાર માટે રકમ: 1,20,000 રૂપિયા
- શહેરી વિસ્તાર માટે રકમ: 1,50,000 રૂપિયા
આ યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતીઓ અને વિચરતી-વિમુકત જાતિઓ માટે મકાન નિર્માણ માટે આર્થિક સહાય પ્રદાન કરે છે.
પંડિત દીનદયાળ યોજનાની માહિતી
યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા પછાત વર્ગીય પરિવારોને પોતાનું મકાન બનાવવા માટે આર્થિક સહાય પ્રદાન કરવાનો છે. આથી તેઓ સન્માનજનક જીવન જીવી શકે અને સમાજમાં તેમનું સ્થાન સુધારી શકે.
વિગતો | માહિતી |
---|---|
યોજનાનું નામ | પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના |
અમલીકરણ વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર |
યોજનાનો હેતુ | અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને પછાત વર્ગના પરિવારોને પાકા મકાન માટે આર્થિક સહાય |
લાભાર્થી વર્ગ | SEBC, EBC, NT/DNT જાતિના પરિવારો |
વાર્ષિક આવક (ગ્રામીણ) | ₹1,20,000 સુધી |
વાર્ષિક આવક (શહેરી) | ₹1,50,000 સુધી |
મહત્તમ આર્થિક સહાય | ₹1,20,000 સુધી |
SEBC સબસિડી (ગ્રામીણ) | ₹70,000 |
SEBC સબસિડી (શહેરી) | ₹45,000 |
ભુગતાન પદ્ધતિ | 3 હપ્તામાં |
પ્રાથમિકતા | BPL (ગરીબી રેખા નીચે) પરિવારોને |
જરૂરી દસ્તાવેજો | આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકનો પુરાવો, BPL પ્રમાણપત્ર, જમીનના કાગળો, બેંક પાસબુક |
અરજી માધ્યમ | ઓનલાઇન – esamajkalyan.gujarat.gov.in |
2018-19 લાભાર્થીઓ | SEBC: 17,693, EBC: 1,044, NT/DNT: 1,921 |
કાર્યાલય સરનામું | ડાયરેક્ટર, ડેવલપિંગ કાસ્ટ વેલ્ફેર, બ્લોક નં. 4, 3જું માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર |
વેબસાઇટ | sje.gujarat.gov.in |
પંડિત દીનદયાળ આવાસ યોજનાનો મુખ્ય હેતુ
મોટાભાગની સરકારી યોજનાઓની જેમ જ આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબોના કલ્યાણ માટેનો છે. આવાસ જેવી મૂળભૂત સુવિધા દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે તે માટે કરવામાં આવેલી સરકાર તરફની આ એક પહેલ છે.
આવાસ સુરક્ષા પ્રદાન કરવી
- પછાત વર્ગીય પરિવારને પોતાનું સુરક્ષિત અને પક્કું મકાન પ્રદાન કરવાનો છે.
- સરકાર માને છે કે આવાસ એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.
સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન
- આ યોજના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ કરે છે.
- તેનાથી સમાજમાં સમાનતા અને ન્યાયની ભાવના વધે છે.
આર્થિક સ્વાવલંબન વિકસાવવું
- પોતાનું મકાન હોવાથી પરિવારોને ભાડું ચૂકવવાની જરૂર રહેતી નથી.
- આનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને બચત વધે છે.
જીવનધોરણમાં વૃદ્ધિ
- સુરક્ષિત આવાસ મળવાથી આ પરિવારોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થાય છે.
- આનાથી તેમના બાળકોના શિક્ષણ અને આરોગ્યમાં પણ ફાયદો થાય છે.
ગ્રામીણ અને શહેરી વિકાસ
- આ યોજના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના વિકાસમાં ફાળો આપે છે.
- નવા મકાનો બનવાથી સ્થાનિક રોજગારના અવસરો પણ વધે છે.
સામાજિક સન્માન અને આત્મવિશ્વાસ
- પોતાનું મકાન હોવાથી આ પરિવારોને સમાજમાં વધુ સન્માન મળે છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે.
- આનાથી તેઓ સમાજના વિકાસમાં વધુ સક્રિય ભાગ લઈ શકે છે.
પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ
પંડિત દિનદયાળ આવાસ યોજનાનો અરજી ફોર્મ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. આ ફોર્મ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
તેમાં તમે અહીં નીચે દાર્શવેલી માહિતી ભરીને ફોર્મને સબમિટ કરી શકો છો.
વ્યક્તિગત માહિતી
- અરજદારનું સંપૂર્ણ નામ
- પિતા/પતિનું નામ
- જન્મ તારીખ
- ઉંમર
- લિંગ
- વૈવાહિક સ્થિતિ
સંપર્ક વિગતો
- વર્તમાન સરનામું
- કાયમી સરનામું
- મોબાઈલ નંબર
- ઈમેઈલ આઈડી (જો હોય તો)
પારિવારિક વિગતો
- કુટુંબના સભ્યોની સંખ્યા
- પરિવારની વાર્ષિક આવક
- આવકના સાધનો
- પરિવારના અન્ય સભ્યોની વિગતો
જાતિ અને વર્ગ સંબંધિત માહિતી
- જાતિ/સમુદાય
- વર્ગ (SEBC/EBC/લઘુમતી/વિચરતી-વિમુકત)
- જાતિ પ્રમાણપત્ર નંબર
- જાતિ પ્રમાણપત્ર જારી કરનાર અધિકારી
આવાસ સંબંધિત વિગતો
- વર્તમાન રહેઠાણની સ્થિતિ
- જમીનની માલિકી
- મકાન બાંધવાનું સ્થાન
- અપેક્ષિત બાંધકામ ખર્ચ
ફોર્મ ભરતી વખતે સાવચેતી
- તમામ માહિતી સ્પષ્ટ અને સાચી રીતે લખો.
- કોઈ પણ કોલમ ખાલી ન છોડો.
- જો કોઈ માહિતી લાગુ ન પડતી હોય તો “લાગુ પડતું નથી” લખો.
- તમામ દસ્તાવેજો સ્પષ્ટ અને વાંચી શકાય તેવા હોવા જોઈએ.
ફોર્મ સબમિટ કર્યા પછી
- અરજીની રસીદ/એકનોલેજમેન્ટ સાચવીને રાખો.
- એપ્લિકેશન નંબર નોંધી લો.
- નિયમિત રીતે અરજીની સ્થિતિ ચકાસતા રહો.
પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ ભરવાની અરજી વિધિ
ઘણા લોકો જે પંડિત દીનદયાળ યોજનામાં અરજી કરવા માંગતા હોય છે, પરંતુ ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી તેની પૂર્ણ જાણકારી તેઓ પાસે હોતી નથી. તેથી અમુક વાર તેઓનું ફોર્મ રિજેક્ટ પણ થઇ જાય છે.
જો અમારા વાચકો સાથે આ સમસ્યા ના થાય તે માટે અમે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયાને અહીં બિલકુલ સરળ શબ્દોમાં દર્શાવી છે.
ઓનલાઈન અરજી
- વેબસાઈટ: esamajkalyan.gujarat.gov.in પર જાઓ
- નોંધણી: “Please Register Here” લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવો
- લોગિન: યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરો
- ફોર્મ પસંદ કરો: પંડિત દિનદયાળ આવાસ યોજનાનો ફોર્મ પસંદ કરો
- વિગતો ભરો: તમામ જરૂરી માહિતી સાચી રીતે ભરો
- દસ્તાવેજો અપલોડ: જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરો
- ચકાસણી: ભરેલી માહિતી ચકાસો
- સબમિટ: અરજી સબમિટ કરો અને રસીદ સાચવો
ઓફલાઈન અરજી
- જિલ્લા કલેક્ટર કચેરી
- તાલુકા વિકાસ અધિકારીની કચેરી
- જન સેવા કેન્દ્ર
- કોમન સર્વિસ સેન્ટર (CSC): નજીકના CSC સેન્ટર પર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે.
(FAQ’S)
એવા મોટાભાગના લોકો છે જેઓને આ યોજનાનો લાભ તો લેવો છે પણ આ અને પૂરતી માહિતી નથી, તેઓના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. એવા પ્રશ્નોમાંથી મુખ્ય સવાલોના જવાબ અહીં આપવામાં આવેલા છે.
(1) પંડિત દીનદયાળ આવાસ યોજના શું છે?
આ ગુજરાત સરકારની યોજના છે જે SEBC, EBC અને NT/DNT જાતિના પરિવારોને પાકા મકાન બનાવવા માટે ₹1,20,000 સુધીની આર્થિક સહાય આપે છે.
(2) આમાં આવકની મર્યાદા કેટલી છે?
ગ્રામીણ વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 વાર્ષિક આવક સુધીના પરિવારો પાત્ર છે.
(3) યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
મહત્તમ ₹1,20,000 સુધીની સહાય મળે છે. SEBC જાતિને ગ્રામીણ વિસ્તારમાં ₹70,000 અને શહેરી વિસ્તારમાં ₹45,000 સબસિડી મળે છે.
(4) BPL પરિવારોને કોઈ વિશેષ લાભ છે?
હા, BPL (ગરીબી રેખા નીચે) પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેથી તેઓને જલ્દી આનો લાભ મળે છે.
(5) અરજી રદ થવાના કારણો શું છે?
ખોટી માહિતી, અપૂરા દસ્તાવેજો, પાત્રતા પૂરી ન કરવી અથવા બેંક ખાતાની વિગતો ખોટી હોવાથી અરજી રદ થઈ શકે છે.
આશા કરુ છુ પંડિત દીનદયાળ આવાસ યોજના વિશેની પુરી જાણકારી સારી રીતે આપી શકી છુ. તો મળીએ નવી પોસ્ટમાં એક નવી જાણકારી સાથે ત્યાં સુધી ટેક કેયર.